ભાગીરથી સેવા ધુન મંડળ સુરત દ્વારા કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે પક્ષીઓ માટે નિઃશુલ્ક 1500 કુંડા અને માળા નું વિતરણ
સુરત : ભાગીરથી સેવા ધુન મંડળ સુરત દ્વારા કાળઝાળ ગરમી થી રાહત મેળવવા માટે પક્ષીઓ માટે નિઃશુલ્ક 1500 કુંડા અને માળા નું વિતરણ કરવામાં આવ્યું હતું. ભાગીરથી સેવા ધુન મંડળ સુરત દ્વારા ગૌ સેવા, જીવદયા, અનાથ બાળકો ને જમાડવાની સેવા, ગંગા સ્વરૂપ બહેનો માટે અનાજ કરિયાણાની કીટ વિતરણ ની સેવા જેવી અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે.
કળિયુગમાં ભગીરથ તો ના બની શકીએ પણ સૌ સાથે મળીને ભગીરથ કાર્ય જરૂર કરી શકીએ.

અહેવાલ : મહેન્દ્રસિંહ માંગરોલા ઓલપાડ