ઓલપાડ : આગ્રા સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી સુમન દ્વારા દિલ્હી ખાતે સંસદ ભવનમાં ભારતના વીર પુત્ર મહારાણા સાંગા પર અભદ્ર વિવાદિત ટિપ્પણી કરી છે જેના વિરોધ માંઓલપાડ (સુરત જિલ્લા) શ્રી રાજપુત કરણી સેના તથા રાજપુત સમાજની વિવિધ સંગઠનો વતી ઓલપાડ પ્રાત કચેરી ખાતે શીરેસ્ટદાર કેતન પટેલ ને સુરત જિલ્લાના શ્રી કરણી સેનાના પ્રવક્તા પ્રિન્સ મહિડા અને ઓલપાડ તાલુકા કરણી સેનાના પ્રમુખ સુજીતસિંહ સોલંકીની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આવેદન પત્રમાં જણાવ્યા મુજબ ગત તારીખ : ૨૧/૦૩/૨૦૨૫ ના રોજ ભારતની રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય સચિવ તથા રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમન દ્વારા રાણા સાંગા (સંગ્રામસિંહજી) ના સંદર્ભે અભદ્ર ટિપ્પણી કરી ગદ્દાર જેવા શબ્દોનો ઉપયોગ પ્રયોગ કરેલ છે, અને સત્યથી વેગળી અને પાયાવિહોણી હોય તેમજ આ રાજ્યસભાના સાંસદ દ્વારા રાજ્યસભાની ગરીમા ને લાંછન લગાડેલ છે, આ કારણે સમગ્ર હિન્દુ સમાજ તેમજ રાજપુત સમાજનું અપમાન કરેલ છે, જે અત્યંત દુ:ખદાયક છે. સદર અભદ્ર ટિપ્પણીને સમગ્ર હિન્દુ સમાજ તેમજ રાજપુત સમાજ વખોડી કાઢે છે, અને સરકારશ્રી દ્વારા સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહા સચિવ રામજીલાલ સુમન દ્વારા “રાણા સાંગા”વિષે કરેલ અભદ્ર ટિપ્પણી બાબતે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને આવા રાજકીય નેતાઓ દેશના નાગરીકો જ્યારે ભાઇચારાથી રહેતા હોય ત્યારે આવા સત્તાના ભૂખ્યા રાજકીય આગેવાનો દ્વારા સરકારશ્રીએ આવા નેતાઓ સામે કાર્યવાહી કરી અને સસ્પેન્ડ કરવા જોઈએ જેથી ભવિષ્યમાં આવા રાજકીય આગેવાનો દ્વારા આવી અભદ્ર ટિપ્પણીઓ કરતાં અટકાવી શકાય.તેવી માંગ કરવામાં આવી હતી.જ્યાં સુધી આ માંગણી પુરી ના થાય ત્યાં સુધી દક્ષિણ ગુજરાત રાજપૂત સમાજ તેમજ શ્રી ઓલપાડ કરણી સેના નો પ્રચંડ વિરોધ સતત ચાલુ રહેશેઆ પ્રસંગે ઓલપાડ તાલુકા સહીતના વિસ્તારમાંથી કરણી સેનાના વિવિધ હોદેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.